CBSE ધોરણ ૧૨ ના પરિણામો જાહેર થયા છે જેમાં થી ૮૮. ૩૯ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને દેશભરમાં ૪૪ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી વિજયવાડામાં સૌથી વધુ ૯૯.૬૦ ટકા પરિણામ જાહેર થયું હતું . ૯૧.૫૨ ટકા છોકરીઓ અને ૮૫.૭૦ ટકા છોકરાઓનું પરિણામ જાહેર થયું છે. આવી સ્થિતિમાં, હજુ અમદાવાદના ટોપર્સે ન્યૂઝ 18 ગુજરાતી સાથે તેમની ટોપર ટિપ્સ શેર પણ કરી છે.
CBSE બોર્ડની વેબસાઇટ પર ધોરણ ૧૨નું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓની પરિણામ અંગેની ઉત્સુકતાનો અંત હવે આવી ગયો. પરિણામ જાણ્યા બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો . અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી ટ્યૂલિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા રૈવતએ જણાવ્યું હતું કે તેણે વિજ્ઞાન પ્રવાહમાં ૯૩.૫% ગુણ મેળવ્યા છે.
આ પરિણામ માટે તેણે ખૂબ જ મહેનત કરી હતી . આ મહેનતની સાથે, તેમણે એક લક્ષ્ય પણ નક્કી કર્યું હતું જે આજે એ પરિણામો સાથે પ્રાપ્ત થયું છે. તેમણે કોઈપણ પ્રકારની અતિશયોક્તિથી દૂર રહીને પરીક્ષાની તૈયારી કરી હતી. તેણે ગુજકેટમાં ૯૯.૮% ગુણ મેળવ્યા. તે તબીબી ક્ષેત્રમાં જઈને ડૉક્ટર બનવા માંગે છે. તે એક સારી વાત કહી શકાય .
ધોરણ ૧૨ માં ૯૮ ટકા માર્ક્સ મેળવનાર પુરિમાએ કહ્યું કે તેને બાયોલોજી અને સાયકોલોજીમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ મળ્યા છે. તેણે આખું વર્ષ અભ્યાસ માટે સખત મહેનત પણ કરી. તેણે મેડિકલ સ્ટ્રીમ માટે NEET પરીક્ષા આપી અને તેમાં સારું પ્રદર્શન પણ કર્યું. તેણે શ્રેષ્ઠ સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ લઈને ડૉક્ટર બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.