અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પર હનુમાનજીનું મંદિર આવેલ છે. ચેતનદાસ બાપુ નામના સંતે તપસ્યા કરી હતી.અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પાસે આ આશ્રમ આવેલો છે. ચેતનદાસ બાપુ હનુમાનજીના ભક્ત હતા, તેથી આશ્રમમાં હનુમાનજી નું મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં બાપુનો અખંડ ધૂણો, અખંડ જ્યોત અને બાપુની સમાધી પણ આવેલી છે. દૂર દૂરથી ભક્તો દાદાના દર્શન કરવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મંદિરમાં આવે છે. અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પર હનુમાનજીનું મંદિર છે બાપજી અજાચક એટલે કે કોઈના પાસે માગું નહીં એવું વ્રત પાળતા અને અનાજ ગ્રહણ ન કરતા. બાપુએ 50 વર્ષ સોલા ભાગવતમાં તપસ્યા કરી. અહી બાપુનો અખંડ ધૂણો, અખંડ જ્યોત અને બાપુની સમાધિ આવેલી છે.
અમદાવાદના ગોતામાં ચેતનધામ ઉદાસીન આશ્રમ
જ્યારે ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે આવે છે, ત્યારે દાદાના દર્શન કર્યા પછી, તેઓ બાપુના પણ દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. લોકોની શ્રદ્ધા અતૂટ છે અને આ જ કારણ છે કે હનુમાનજી ના મંદિરમાં આવતા લોકોની ઇચ્છાઓ પૂર્ણ થાય છે. શનિવારે હજારો લોકો હનુમાનજી ના મંદિરે જાય છે. મધ્યરાત્રિ ૧૨ વાગ્યા સુધી મંદિરમાં ભક્તોની ભીડ રહે છે અને સામાન્ય દિવસોમાં પણ લોકો દર્શન માટે મંદિરમાં આવે છે. મંદિરમાં પ્રસાદ તરીકે ચા આપવામાં આવે છે. આ મંદિરમાં હનુમાનજી, ભગવાન શંકર, અન્નપૂર્ણમા અને મા અંબાની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં લોકો હનુમાનજીને તેલ, સિંદૂર, માળા અને ફળો ચઢાવે છે. મહાદેવજીને દૂધ, પાણી અને ચોખા ચઢાવવામાં આવે છે. મંદિરમાં સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે. અને દાદાને પ્રસાદ ચઢાવવામાં આવે છે. મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન અને આનંદના ગરબા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
દાદાના મંદિરમાં ભજન અને ભોજનનો સંગમ
દર શનિવારે મંદિરમાં ભજન અને રામધૂનનું આયોજન કરવામાં આવે છે. ચેતનદાસ બાપુએ શરૂ કરેલી પરંપરા આજે પણ ચાલુ છે. મંદિરે દર વર્ષે મોટો ભંડારે કરવામાં આવે છે જેમાં આઠ થી દસ હજાર લોકો હાજરી આપે છે. ભક્તોને ભોજન આપ્યા પછી, સાંજે ભજનોનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવે છે. આમ, દાદાના મંદિરમાં ભજન અને ભોજનનો સમન્વય થાય છે. મંદિરમાં એક ગૌશાળા બનાવવામાં આવી છે. ત્યાં 60 થી વધુ ગાયો રાખવામાં આવી છે. ભક્તો ભક્તિ ગીતો સાથે ગાયોને ચારો ખવડાવીને ધન્યતા અનુભવે છે. ગોતા સ્થિત સંત શ્રી ચેતન ધામ ઉદાસીન આશ્રમમાં દૂર દૂરથી લોકો પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે આવે છે. શનિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજી ના મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે આવે છે અને તેમની ઇચ્છાઓ પૂર્ણ થવાના આનંદનો અનુભવ કરીને ધન્યતા અનુભવે છે.