ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સતત સાયરન વગાડવામાં આવી રહ્યું છે.જિલ્લા કલેક્ટર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં બે-ત્રણ વાર સાયરન પણ વગાડવામાં આવ્યું હતું.
વહીવટીતંત્ર લોકોને ખાસ અપીલ કરી રહ્યું છે કે તેઓ પોતાના ઘરની બહાર ન નીકળે અને સુરક્ષિત સ્થળોએ રહે. જોકે, કઈ પ્રવૃત્તિને કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
ભુજમાં કટોકટી સિવાય બધા વ્યવસાયો બંધ છે. બધા વ્યવસાયોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કચ્છના જીલ્લાના કલેક્ટર દ્વારા તમામ જાહેર જનતા માટે એક આદેશ જારી કરવામાં આવ્યો છે. ભુજ શહેરમાં બધા ધંધા બંધ રહશે. લોકોને જાગૃત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે . કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. માછીમારોને પણ દરિયામાં ન જવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, પોરબંદરના માછીમારોને બંદર પર પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં લગભગ ૧૭૦૦ માછીમારો બોટ ને લઇ ને દરિયામાં માછીમારી કરી રહ્યા છે. આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.