રાજ્ય શિક્ષણ બોર્ડે આજે ધોરણ 10 ની પરીક્ષાના પરિણામો જાહેર કર્યા, જ્યારે બુધવારે દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો, ત્યારે વશિષ્ઠ શાળાઓના જૂથે આ બંને પ્રસંગોની સાથે મળીને અનોખી રીતે ઉજવણી કરી હતી. એક તરફ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં શાળાના ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરી, તો બીજી તરફ, વિદ્યાર્થીઓએ નાટક, નૃત્ય અને ગીત દ્વારા ઓપરેશન સિંદૂર રજૂ કરીને બધાના દિલ જીતી લીધા હતા.
જ્યારે ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું, ત્યારે વશિષ્ઠ વોરિયર્સનું વર્ચસ્વ ફરી એકવાર જોવા મળ્યું. આ વર્ષે પણ વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 63 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત, ૧૧૫ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. વાવની વશિષ્ઠ વિદ્યાલયની તેજસ્વી વિદ્યાર્થીની પટેલ પ્રાચી, જેણે ૯૭.૩૩% અને ૯૯.૯૧ PR મેળવ્યા. તેણે શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત, બુહા જેન્સી ૯૭.૦૦% અને ૯૯.૮૭ PR સાથે બીજા ક્રમે રહ્યા.
વિદ્યાર્થીઓ અને શાળા પરિવારે આ સફળતાની ઉજવણી કરી અને “ઓપરેશન સિંદૂર” શીર્ષક હેઠળ શ્રી વશિષ્ઠ વિદ્યાલય, વાવના વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ ભાવનાત્મક રીતે ભારતીય સેનાની વીરતાની ઉજવણી કરી. કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.
આ ઘૃણાસ્પદ ઘટનાએ સમગ્ર રાષ્ટ્રને આક્રોશ, ગુસ્સો અને શોકમાં ડૂબાડી દીધું. જ્યારે આખો દેશ આ ઘટનાનો બદલો લેવા માટે ઉત્સુક હતો, ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ મિશન હેઠળ પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવાની હાકલ કરી.
આજે જ્યારે આ પ્રસંગે સમગ્ર દેશમાં આનંદ અને શૌર્યનું ભાવનાત્મક વાતાવરણ સર્જાયું છે, ત્યારે શ્રી વશિષ્ઠ વિદ્યાલય, વાવના વિદ્યાર્થીઓએ “ઓપરેશન સિંદૂર” ના નામે ભારતીય સેનાની શૌર્યની ભાવનાત્મક ઉજવણી કરી. આ કાર્યક્રમ બે ભાગમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પહેલા ભાગમાં, ‘ઓપરેશન સિંદૂર’ ની ભાવનાત્મક ઉજવણી કરવામાં આવી હતી અને બીજા ભાગમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો વિદ્યાર્થીઓ અને નાગરિકોએ કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તે અંગે ‘મોક ડ્રીલ’ કરવામાં આવી હતી.